રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય28 નવેમ્બર, 2024| Super Admin

દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ટ્રેનના કાચ તૂટી ગયા

દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો ટ્રેનના કાચ તૂટી ગયા

દેહરાદૂનથી આનંદ વિહાર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22458) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠથી મોદીનગર આવતી વખતે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર પહેલાં આ ઘટના બની હતી, જ્યારે કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેનના E1 અને C4 કોચ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાના કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. આ મામલે FIR નોંધવામાં આવી છે. પથ્થરબાજો આ ટ્રેનને સતત નિશાન બનાવી રહ્યા છે. રેલ્વે પોલીસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલ મુજબ દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલા જ મોદીનગર વિસ્તારમાં પથ્થરમારાની શિકાર બની ચુકી છે.

ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર ચારેય ઘટનાઓ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે ટ્રેકની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીની ઓળખ થઈ શકે. જોકે, પથ્થરમારાની સતત ઘટનાઓએ રેલવે પ્રશાસન અને પોલીસ બંને માટે ચિંતા વધારી છે.

ટેગ્સ:#Dehradun#vande bharat

સંબંધિત સમાચાર