વર્ષ 2004માં સર્જાયેલા એક માર્ગ અકસ્માતના કેસમાં પાટણની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે. જીપ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા પુનાજી કુવરાજીના વારસદારોને રૂ.1,05,000નું વળતર 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ કેસ અગાઉ હાઈકોર્ટમાં રિમાન્ડ થયો હતો અને લાંબી કાનૂની લડત બાદ અરજદારોને ન્યાય મળ્યો છે. 2 નવેમ્બર 2004ના રોજ પુનાજી કુવરાજી જીપ નંબર GJ-8-T- 8363માં મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ પલટી મારી ગઈ હતી, જેમાં ગંભીર ઈજાઓને કારણે પુનાજીનું મોત નીપજ્યું હતું. વીમા કંપનીએ બચાવ કર્યો હતો કે વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, પરંતુ પૂરતા પુરાવાના અભાવે ટ્રિબ્યુનલે આ દલીલ ફગાવી દીધી હતી. મૃતકના વારસદારોને રૂ.1,05,000નું વળતર 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ એક્સિડન્ટ કેસમાં મૃતકના વારસદારને રૂ.1.05 લાખ ચૂકવવા વીમા કંપનીને કોર્ટનો આદેશ

સંબંધિત સમાચાર
પાટણપાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની
3 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 15% ફી વધારો મંજૂર કરાયો
3 દિવસ પહેલા
પાટણપાટણ: પાલિકા પ્રમુખના જ વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ, રહીશોમાં રોષ
3 દિવસ પહેલા
પાટણપાટણમાં પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી કરનારા સામે તંત્રની લાલ આંખ
3 દિવસ પહેલા
