રખેવાળ
બ્રેકિંગ
ગુજરાત2 જૂન, 2025

રાજકોટમાં કોરોનાનો કહેરઃ 13 દિવસમાં 37 કેસ સામે આવતા તંત્ર એલર્ટ

રાજકોટમાં કોરોનાનો કહેરઃ 13 દિવસમાં 37 કેસ સામે આવતા તંત્ર એલર્ટ
રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો યથાવત્ છે, જેના કારણે શહેરીજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 13 દિવસમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 37 કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે આમાંથી 4 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે અને આરોગ્ય તંત્ર દ્વારા પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

1 જૂને, રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 5 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસોમાં 2 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ કેસો નોંધાતાની સાથે જ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 37 પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ 2 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ તમામ દર્દીઓને તેમના ઘરમાં જ હોમ આઇસોલેટ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત હાલ સ્થિર છે. તંત્ર દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેર ઉપરાંત, રાજકોટ જિલ્લામાં પણ કોરોનાનો એક નવો કેસ સામે આવ્યો છે. અગાઉ ગૌરીદળથી એક કેસ નોંધાયો હતો. નવાગામ આણંદપર ખાતે રહેતા 53 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર