પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના હૈદરપુરા ગામે દાંતીવાડા ગઢ શાખા નહેરની ૧૨ એલ ડિસ્ટ્રિબ્યુટરીનું ૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હોઇ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના કેબિનેટમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગતરોજ નહેરના રિનોવેશનની કામગીરીના સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ આ નહેર ટુંક સમયમાં શરૂ થાય તે માટે જરૂરી સૂચના આપી હતી. શિયાળામાં આ નહેરમાં પાણી છોડવાનું હોય વિસ્તારના ૪૦૦ હેક્ટર જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે. જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની સુવિધા સુનિશ્ચિત થાય તે માટે મંત્રીએ વિવિધ પ્રોજેક્ટોની પણ સમીક્ષા કરી.જેમાં મંત્રીએ હૈદરપુરા ગામે સ્થળ પર જઈ કામગીરીની સમીક્ષા કરી. મરામત, મિકેનિકલ વર્ક સહિતની વિગતો જિલ્લા અધિકારીઓ પાસેથી મેળવી કામગીરીમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે અધિકારીઓને સુચના આપી હતી.
સરસ્વતી તાલુકા માંથી પસાર થતી રૂ.૧૨૮ લાખના ખર્ચે રિનોવેશન કરેલ નહેરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

ટેગ્સ:#infrastructure development#Patan district#Quality Control#Saraswati Taluka#Irrigation Facilities#Government Investment#Agricultural Benefits#Drinking Water Supply#Water Resources#Canal Renovation#Cabinet Minister Visit#Haidarpura Village#Project Inspection#Dantiwada Garh Branch Canal
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
4 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
