રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
આંતરરાષ્ટ્રીય28 ફેબ્રુઆરી, 2025| Super Admin

રમઝાન પહેલા પાકિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ; 5 લોકોના મોત

રમઝાન પહેલા પાકિસ્તાનના મદરેસામાં બોમ્બ વિસ્ફોટ; 5 લોકોના મોત
રમઝાનના પવિત્ર મહિનામાં પાકિસ્તાનના એક મદરેસામાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. આમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. શુક્રવારે ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં એક મદરેસામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં પાંચ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે આ માહિતી આપી. જિલ્લા પોલીસ વડા અબ્દુલ રશીદે જણાવ્યું હતું કે વિસ્ફોટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અક્કોરા ખટ્ટક જિલ્લામાં સ્થિત એક મદરેસામાં થયો હતો. તે દરમિયાન લોકો મદરેસામાં નમાઝ પઢી રહ્યા હતા. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. આતંકવાદી સંગઠનોની શંકા; પાકિસ્તાનને શંકા છે કે આ વિસ્ફોટ કોઈ આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે જામિયા હક્કાનીયા નામના મદરેસા પર થયેલા હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી. તેમણે કહ્યું કે આ મદરેસા અફઘાન તાલિબાન સાથેના સંબંધો માટે જાણીતું છે.

સંબંધિત સમાચાર