રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાજકારણ19 નવેમ્બર, 2024| Super Admin

ભાજપના વિનોદ તાવડે પર મતદારોને પૈસા વહેંચવાનો આરોપ ચૂંટણી પંચે નોટ ફોર વોટ કેસમાં બે એફઆઈઆર દાખલ

ભાજપના વિનોદ તાવડે પર મતદારોને પૈસા વહેંચવાનો આરોપ ચૂંટણી પંચે નોટ ફોર વોટ કેસમાં બે એફઆઈઆર દાખલ

બહુજન વિકાસ આઘાડીના ભાજપ પર નાણાં વહેંચવાના આરોપ બાદ ચૂંટણી પંચના અધિકારીઓએ તે હોટલમાં તપાસ હાથ ધરી હતી જ્યાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે બેઠક કરી રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને ભાજપના ઉમેદવાર રાજન નાઈક પર મતદારોને પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. ચૂંટણી પંચે નોટ ફોર વોટ કેસમાં બે એફઆઈઆર દાખલ કરી છે. ચૂંટણી પંચના અધિકારીઓએ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ બે એફઆઈઆર દાખલ કરી છે. 

તાવડેએ કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓએ તેમની કાર, બેગ અને રૂમની તપાસ કરી આ સાથે જ વિનોદ તાવડેએ વિપક્ષના આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. હું ત્યાં ચૂંટણી આચારસંહિતાના નિયમો સમજાવવા ગયો હતો. તાવડેએ કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓએ તેમની કાર, બેગ અને રૂમની તપાસ કરી છે. રૂમ નંબર 406માંથી રૂ.9 લાખ 53 હજાર રોકડા મળી આવ્યા છે. તેમ છતાં હું માનું છું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કર્યો શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં તુલજાભવાની મંદિરમાં પૂજા કરી અને પ્રાર્થના કરી કે મહારાષ્ટ્રમાં ભ્રષ્ટ રાક્ષસોનું શાસન સમાપ્ત થાય. મેં પ્રાર્થના કરી છે કે એવી સરકાર આવે જે મહારાષ્ટ્રની સંસ્કૃતિને સુંદર બનાવે. અહીં આવીને પણ મારી બેગ તપાસી હતી પણ કંઈ મળ્યું નહોતું. મને તમારી પાસેથી જાણવા મળ્યું છે કે વિનોદ તાવડેની બેગમાંથી પૈસા મળ્યા હતા.

સંબંધિત સમાચાર