પાટણમાં બકરી ઈદની ઈદગાહ સહિત શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ

પાટણમાં કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવાયો; પાટણ શહેર અને જિલ્લામાં શનિવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી હતી.
ઈદગાહ ખાતે મૌલાના સિદ્દીક સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફનો પાઠ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની મુબારકબાદી પાઠવી હતી.આ પ્રસંગે મૌલાના ઈમરાને દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદાતાલાને મુસ્લિમ બિરાદરો દ્રારા દુવા ફરમાવવામાં આવી હોવાનું જણાવી પુલવામા બનેલા આતંકવાદી હુમલાને શખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ ઈદગાહ સહિત શહેરના મુસ્લિમ વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાની સુચના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બકરી ઈદની સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં કોમી એખલાસ અને હર્ષોલ્લાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ટેગ્સ:#patan#Security Arrangements#Local Celebrations#Communal Harmony#Community Unity#Bakri Eid#Peaceful Celebration#Eid-ul-Adha#Eid Prayers#Eidgah#Qurbani Festival#Muslim Brotherhood
સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
8 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
8 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
