પાટણમાં બકરી ઈદની ઈદગાહ સહિત શહેરની અન્ય મસ્જિદોમાં નમાઝ અદા કરાઇ

પાટણમાં કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદનો તહેવાર ઉજવાયો; પાટણ શહેર અને જિલ્લામાં શનિવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની કોમી એખલાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પાટણ શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેર ની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી હતી.
ઈદગાહ ખાતે મૌલાના સિદ્દીક સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફનો પાઠ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ પછી તમામ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકની મુબારકબાદી પાઠવી હતી.આ પ્રસંગે મૌલાના ઈમરાને દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદાતાલાને મુસ્લિમ બિરાદરો દ્રારા દુવા ફરમાવવામાં આવી હોવાનું જણાવી પુલવામા બનેલા આતંકવાદી હુમલાને શખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. સુરક્ષાની દૃષ્ટિએ ઈદગાહ સહિત શહેરના મુસ્લિમ વિસ્તારોમાં જિલ્લા પોલીસ વડાની સુચના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બકરી ઈદની સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં કોમી એખલાસ અને હર્ષોલ્લાસ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ટેગ્સ:#patan#Security Arrangements#Local Celebrations#Communal Harmony#Community Unity#Bakri Eid#Peaceful Celebration#Eid-ul-Adha#Eid Prayers#Eidgah#Qurbani Festival#Muslim Brotherhood
સંબંધિત સમાચાર
પાટણકુંભાણામાં તસ્કરોનો આતંક: બંધ મકાનને નિશાન બનાવી લાખોની ચોરી
2 દિવસ પહેલા
પાટણચાણસ્માની ગર્લ્સ સ્કૂલની કોમ્પ્યુટર લેબમાં શોર્ટ સર્કિટથી આગ, ₹૭ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
પાટણપાટણમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈ કલેક્ટરે સંકલનની બેઠક બોલાવી
3 દિવસ પહેલા
પાટણપાટણના ડાલડી ગામે ખેડૂતના ખેતરમાંથી રૂ.3.92 લાખના ગાંજાના છોડ મળ્યા
3 દિવસ પહેલા
