રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય17 માર્ચ, 2025| Super Admin

મહારાષ્ટ્ર વિધાન પરિષદની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

મહારાષ્ટ્ર વિધાન પરિષદની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર

(જી.એન.એસ) તા.16

મુંબઈ,

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાન પરિષદની પેટાચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જેમાં ત્રણ નામોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર અને દાદારાવ યાદવરાવ કેચેના નામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાવાની છે.

પેટાચૂંટણી માટેનું જાહેરનામું 10 માર્ચે બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 17 માર્ચ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની છેલ્લી તારીખ 18 માર્ચ છે. 20 માર્ચ સુધી નામ પાછા ખેંચી શકાશે. જો જરૂર પડશે તો 27 માર્ચે મતદાન થશે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં સંદીપ દિવાકરરાવ જોશી, સંજય કિશનરાવ કેનેકર, દાદારાવ યાદવરાવ કેચેના નામનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે અહીં પાંચ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 ધારાસભ્યો છે. ભાજપ પાસે 132 ધારાસભ્યો, શિવસેના પાસે 57 અને એનસીપી પાસે 41 ધારાસભ્યો છે. શાસક ભાજપ, શિવસેના અને એનસીપી ગઠબંધન પાંચ ખાલી બેઠકો જીતે તેવી શક્યતા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પેટાચૂંટણી 27 માર્ચે યોજાવાની છે. નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણીમાં પાંચ MLCની જીતને કારણે આ ચૂંટણી જરૂરી બની ગઈ છે. ચૂંટણી જીતનારા MLCમાંથી ત્રણ ભાજપના, એક શિવસેના અને એક NCPના હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર