રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
ગુજરાત20 જુલાઈ, 2025| Super Admin

ધોળકા શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

ધોળકા શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

(જી.એન.એસ) તા. ૨૦

અમદાવાદ,

કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા દ્વારા ઉપર્યુકત તા.૧૧/૦૭/૨૦૨૫ અને તા.૧૯/૦૭/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા શાખા નહેરની સાંકળ ૦.૦૦ થી ૭૨.૪૬૦ કીમી આવે છે. જેના પર વિવિધ પુલો આવેલા છે. જે પૈકી રાજપુર થી આંબલીયારા માર્ગ પરનો બ્રિજ નં.૫૨૫૩૫ કિટીકલ કંડીશનમાં હોય જાહેર પરિવહન માટે બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા અત્રેને રજુઆત કરેલ છે. જે પુલ બંધ કરવા અને વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા વંચાણે લીધેલ પોલીસ વિભાગના પત્રની વિગતે જાહેરનામું પ્રસિધ્ધ કરવાની દરખાસ્ત મળેલ છે.

આથી હું બી. આર. સાગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) થી મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છુ કે, તા. ૨૦/૦૭/૨૦૨૫ના રોજથી તા. ૧૭/૧૦/૨૦૨૫ સુધી નીચે મુજબની વ્યવસ્થાનું પાલન કરવા જણાવું છું.

ઉપરોકત જાહેરનામાના પ્રતિબંધિત હુકમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા નીચે મુજબ ડાયવર્ટ કરવા જાહેર જનતાને સૂચના આપવામાં આવે છે.

પુલ નં. ૫૨૫૩૫

રાજપુર થી આંબલીયારા

વાસણા કેલીયા થી આંબલીયારા વૈકલ્પિક રોડ ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામાનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ની કલમ-૧૩૧ અને ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમજ આ હુકમ અન્વયે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતાં વિભાગીય પોલીસ અધિકારીશ્રીના દરજ્જાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ સુધીનાં હોદ્દા ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇરામો સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ – ૨૨૩ તથા ગુજરાત પોલીસ એક્ટ કલમ – ૧૩૧ મુજબ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.



Source link

સંબંધિત સમાચાર