રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય28 જૂન, 2025| Super Admin

આજે વડાપ્રધાન મોદી નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

આજે વડાપ્રધાન મોદી નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

(જી.એન.એસ) તા. 28

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28 જૂને સવારે 11 વાગ્યે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે.

આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા ભગવાન મહાવીર અહિંસા ભારતી ટ્રસ્ટના સહયોગથી આદરણીય જૈન આધ્યાત્મિક અગ્રણી અને સમાજ સુધારક આચાર્ય વિદ્યાનંદજી મહારાજની 100મી જન્મજયંતીના સન્માનમાં આયોજિત એક વર્ષ લાંબી રાષ્ટ્રીય શ્રદ્ધાંજલિનો ઔપચારિક પ્રારંભ કરશે. વર્ષભર ચાલનારા આ સમારોહમાં દેશભરમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક પહેલનો સમાવેશ થશે, જેનો હેતુ તેમના જીવન અને વારસાની ઉજવણી અને તેમના સંદેશનો ફેલાવો કરવાનો છે.

આચાર્ય વિદ્યાનંદજી મહારાજે જૈન ફિલસૂફી અને નીતિશાસ્ત્ર પર 50થી વધુ કૃતિઓ લખી છે. તેમણે સમગ્ર ભારતમાં પ્રાચીન જૈન મંદિરોના પુનઃસ્થાપન અને પુનરુત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને શિક્ષણ માટે, ખાસ કરીને પ્રાકૃત, જૈન ફિલસૂફી અને શાસ્ત્રીય ભાષાઓમાં કામ કર્યું હતું.



Source link

સંબંધિત સમાચાર