જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે. માનવતાના દુશ્મન ગણાતા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને જે રીતે હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી જે શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓના આત્માની શાંતિ માટે અને આતંકવાદ વિરુદ્ધમાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સૌ દેશપ્રેમી નાગરિકોએ 25-04-25 શુક્રવારના રોજ રાત્રે ઐઠોર ગ્રામ પંચાયત પાસે એકઠા થઇ શ્રી ગણપતિ મંદિર સુધી બેનર સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. જ્યાં મંદિરમાં ગણપતિ દાદાને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી સત્સંગ હોલમાં 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં ઐઠોર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ઐઠોર ગામજનોએ આતંકવાદી હુમલાના મૃતકોને કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ આપી

ટેગ્સ:#Jammu and Kashmir#tribute#Unjha Taluka#Pahalgam#Candle March#Terrorist Attack#Aithoor Village#Innocent Tourists#Peace of Souls#Anti-Terrorism#Villager Solidarity
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝામાં રાત્રે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા તાલુકાના ટુંડાવ ગામે બોગસ ડૉક્ટર ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
મહેસાણામહેસાણા પોલીસનું મોટું ઓપરેશન: કુખ્યાત જયેશ રબારી ગેંગના બે સાગરીતો વિરુદ્ધ 'ગુજસીટોક' હેઠળ કેસ દાખલ
1 અઠવાડિયા પહેલા
મહેસાણામહેસાણા જિલ્લામાં ફાર્મર રજીસ્ટ્રી માટે ગ્રામસેવકોની સઘન જનજાગૃતિ ઝુંબેશ
1 અઠવાડિયા પહેલા
