આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય

એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી
અમદાવાદમાં ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં 241 યાત્રીઓનું મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયું છે. વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે યોજાશે. 3 દિવસ બાદ તેમની અંતિમવિધિ યોજાવાની સંભાવના છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી વ્યાપી છે.અમદાવાદમાં પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા સમગ્ર રાજકોટમાં શોકની લાગણી ફેલાઇ છે.
પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર સ્વનિર્ભર શાળા સંચાલકોએ આવતીકાલે તમામ ખાનગી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.પૂર્વ CM વિજયભાઈ રૂપાણીના નિધનથી સમગ્ર રાજકોટમાં શોકની લાગણી વ્યાપી છે.CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરીને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું હતું કે, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યાર બાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
ટેગ્સ:#Ahmedabad#Rajkot#Gujarat politics#CM bhupendra patel#Plane crash#grief#tribute#public response#Community Impact#Mourning#educational institutions#Vijaybhai Rupani#School Closure#Former Chief Minister#Funeral Arrangements
સંબંધિત સમાચાર
ગુજરાત
આજનું રાશિફળ (૨૭/૦૩/૨૦૨૬)
4 દિવસ પહેલા
ગુજરાત
અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે – Gujarati GNS News
5 દિવસ પહેલા
ગુજરાતગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ થયું, લિવ-ઇન અને લગ્ન સંબંધિત નવા નિયમો જાણો
5 દિવસ પહેલા
ગુજરાતમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સાણંદ ખાતે “વીરાંજલિ ડાયરો 2.5”નું ભવ્ય આયોજન
6 દિવસ પહેલા
