ગત તારીખ 8 મે ના રોજ મધ્યરાત્રીએ વાવ શહેરના તૂરી બારોટ સમાજના માહોલના એક બંધ મકાનમાં મધ્યરાત્રીએ 2.30 કલાકે આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. મધ્યરાત્રીએ લોકોના ટોળા એકત્રિત થઈ પાણીનો મારો ચલાવ્યો હતો. આ બાબતની જાણ તા.પંચાયતના સદસ્ય ભૂરાજી પથુજી રાજપૂતને થતા મધ્યરાત્રીએ ઘટના સ્થળે પહોંચી ફાયર ફાઇટરને કરી ફાઇટર બોલાવી આગને કાબુમાં લેવાઈ હતી. કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંધ મકાન સીતાબેન બારોટનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. આગ બાબતની જાણ જવાબદાર તંત્રને પણ કરાઈ છે. આગથી કોઈ માલ સામાનને નુકશાન પહોંચ્યું હોય તો પીડિત ને સરકારી સહાય મળે તે જનહિતમાં છે.
વાવમાં મધ્યરાત્રીએ બંધ મકાનમાં અચાનક ભીષણ આગ ભભૂકી, લોકોમાં મચી દોડધામ

સંબંધિત સમાચાર
વાવ-થરાદથરાના વડા ગામેથી 4 જુગારીયા ઝડપાયા, રૂ.67,600 નો મુદ્દામાલ જપ્ત
6 કલાક પહેલા
વાવ-થરાદથરા ખાતે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના ઉપક્રમે નશાબંધી કાર્યક્રમ યોજાયો
7 કલાક પહેલા
વાવ-થરાદવાવની નર્મદા વિભાગની મુખ્ય બ્રાન્ચ માલસણ શાખાની વાવડી માઇનોરમાં ગાબડું પડ્યું
7 કલાક પહેલા
વાવ-થરાદવાવમાં ભાજપ સંગઠન અને તંત્રના સહિયારા પ્રયાસથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
4 દિવસ પહેલા
