સરસ્વતી તાલુકાના રેચવી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે એક ઉંટને કરંટ લાગતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.આ ધટનાની મળતી હકીકત મુજબ રેચવીના પશુપાલક રમેશભાઈ જીવાભાઈ રબારી પોતાના 25 ઉંટોને ગામની સીમમાં ચારી રહ્યા હતા.ત્યારે જામાભાઈ મગનભાઈ રબારીના ખેતરમાં ઉંટો ચરતા હતા.ત્યાં વીજ થાંભલાના જીવતા વાયર નીચે નમી ગયા હતા એક ઉંટ વીજ વાયરને અડકી જતાં કરંટ લાગતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ મામલે પશુપાલકે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે રેચવીના સરપંચ રમેશભાઈ રબારીએ જણાવ્યું કે ખેતરમાં જીવતા વાયર નીચે નમી ગયા હોવાની લેખિતમાં જીઈબી વિભાગ ને જાણ કરી હોવા છતાં વિજ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં ન લેવાતા આજે આ ઉંટનો ભોગ લેવાયો હોવાનો તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો.
રેચવી ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે એક ઉંટનું કરંટ લાગતાં મોત નિપજ્યું

ટેગ્સ:#Police complaint#public safety#Animal Welfare#Saraswati Taluka#Electrocution Incident#Cattle Breeder#Rechvi Village#Electricity Company Negligence#Camel Death#Live Wires Hazard#GEB Department
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
