રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય19 એપ્રિલ, 2025| Super Admin

છત્તીસગઢના સુકમામાં 40 લાખના ઈનામી 22 નક્સલવાદીઓએ આત્મ સમર્પણ કર્યું

છત્તીસગઢના સુકમામાં 40 લાખના ઈનામી 22 નક્સલવાદીઓએ આત્મ સમર્પણ કર્યું

(જી.એન.એસ) તા. 19

સુકમાં,

છત્તીસગઢના સુકમામાં એક નક્સલ દંપતી સહિત 22 નક્સલવાદીઓએ સુરક્ષાબળો સામે આત્મ સમર્પણ કરી લીધું હતું. આ નક્સલવાદીઓએ આત્મસમર્પણ નીતિથી પ્રભાવિત થઈને સરેન્ડર કર્યું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. નક્સલવાદીઓએ એસપી કિરણ ચવ્હાણ, સીઆરપીએફ ડિઆઈજી આનંદસિંહ રાજપૂરોહિત સામે આત્મ સમર્પણ કર્યું હતું.

આત્મ સમર્પણ કરનારા નક્સલીઓમાં 9 મહિલા નક્સલીઓ પણ સામેલ છે. આ તમામ નક્સલીઓ માડ ડિવિઝન અને નુઆપાડા ડિવિઝનમાં સક્રિય હતાં. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નક્સલીઓએ છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ પુનર્વાસ નીતિથી પ્રભાવિત થઈને આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓને આ નીતિ હેઠળ 50 હજાર રૂપિયા આપવામાં આવશે. તે ઉપરાંત અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરાશે.

આ બાબતે એક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુકમા જિલ્લામાં આઠ આઠ લાખ રૂપિયાના ઈનામી નક્સલી મુચાકી જોગા અને તેની પત્ની મુચાકી જોગીએ આત્મ સમર્પણ કર્યું હતું. નક્સલી જોગા નક્સલવાદીઓની પીએલજીએ કંપની નંબર એકમાં ડેપ્યુટી કમાંડર તથા તેની પત્ની સભ્ય છે. આત્મ સમર્પણ કરનારા 22 નક્સલીઓમાં 5 લાખ રૂપિયાના ઈનામી કિકિડ દેવે અને મનોજ ઉર્ફે દૂધી બુધરા સામેલ છે. તે ઉપરાંત માડવી ભીમા, માડવી સોમડી, સંગીતા, માડવી કોસી, વંજામ સન્ની, માડવી મંગલી અને તાતી બંડી પર સરકારે બે બે લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેમની સાથે પુનેમ જોગા પર 50 હજાર રૂપિયાનું ઈનામ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર