ધાનેરા તાલુકાના વોડા ગામમાંથી પ્રાઇવેટ સોલાર કંપનીની ૧૧ કેવીની હેવી વીજલાઇન પસાર થાય છે. પરંતુ આ હેવી વીજલાઇન પશુ પંખીઓ માટે ઘાતક પુરવાર થઈ રહી છે. તેમાંય ખાસ કરીને પર ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર માટે તો આ વીજલાઈન નર્ક સમાન બની ગઈ છે. અઠવાડિયામાં ચારથી પાંચ જેટલા મોર અહીં વીજ કરંટના કારણે મોતના મુખમાં ધકેલાય છે.આ ઉપરાંત અનેક વાનરો પણ આ લાઈનના લીધે મૃત્યુ પામ્યા છે જેની કોઈ સીમા નથી. ગામના જીવદયા પ્રમીઓ દ્વારા નિર્દોષ પશુ પંખીઓને મરતા બચાવવા માટે યોગ્ય નિરાકરણ લાવવા સોલાર કંપનીને અનેકવાર રજૂઆત કરાઈ હોવા છતાં સોલાર કંપની કંઇપણ પગલા લેતી નથી.જેના કારણે છેલ્લાં છ મહિનાથી અહીંયા કેટલાય મોર અને વાંદરા આ લાઈન પર મૃત્યુના ભોગ બની રહ્યા છે.હવે કંપની આ મામલાને ગંભીરતાથી લે છે કે કેમ ? એ જોવાનું રહ્યું.
- May 26, 2025
0
494
Less than a minute
You can share this post!
editor

