રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા20 ઑગસ્ટ, 2025| Super Admin

વડનગર સિવિલ હોસ્પિટલ માંથી યુવકે 6 માળે થી પડતું મુકતા મોત થયું

વડનગર સિવિલ હોસ્પિટલ માંથી યુવકે 6 માળે થી પડતું મુકતા મોત થયું

વડનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ટીબીની સારવાર લઈ રહેલા 29 વર્ષીય ઠાકોર સંજયજી ગાંડાજી ઉર્ફે રાણાજીએ એકાએક હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડતું મુકતા ઘટના સ્થાકે જ તેનું મોત નિપજ્યું હતું. વડનગર સીવીલ હોસ્પિટલ માંથી છઠ્ઠા માળેથી કોઈ અગમ્ય કારણોસર સંજયજી ઠાકોરે પડતું મુકતા યુવક નું મોત થયું હોવાનું મૃતકના સગાએ જાહેર કર્યું હતું. મરણ જનાર યુવક વડનગર તાલુકાના સુલતાન પુર ગામનો હિવાની પ્રાથમિક જાણકારી મળવા પામી હતી જે ટીંબીનો દદી હોવાની જણાવવામાં આવ્યું છે. ટીબીની બીમારીથી પીડાતા હોવાથી વડનગરની સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગમાં છેલ્લા ત્રણ દિવસ થી સરવાર લઈ રહયા હતા. પ્રાપ્ત માહિતું અનુસાર છેલ્લા બે વર્ષ થી યુવક ટીબીની દવા લતો હોવાની તેના સગાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું. સીવીલ હોસ્પિટલમાં બેડ પરથી ઉભા થઈ યુવક સંજયજી ઠાકોરે પેશાબ કરવા જવાનું કહીને છઠ્ઠા માળેથી કુદી પડ્યા હોવાની વિગતો સામે આવી હતી જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ઘટના બાદ સીવીલ હોસ્પિટલ દ્વારા લાશ નો કબ્જો મેળવી પોલિસને જાણ જરવામાં આવી હતી જ્યાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે મૃતકના સગા મેહુલ મહારાજે મીડિયા સમક્ષ વિગતો આપતા સમગ્ર ઘટના બાબતે જાણકારી આપી હતી.

સંબંધિત સમાચાર