રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય28 જુલાઈ, 2025| Super Admin

યોગી આદિત્‍યનાથે રેકોર્ડ બનાવ્‍યો : યુપીના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી બન્‍યા

યોગી આદિત્‍યનાથે રેકોર્ડ બનાવ્‍યો : યુપીના સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી બન્‍યા
સ્‍વર્ગસ્‍થ મુલાયમ સિંહ યાદવ અને એનડી તિવારી તેમજ માયાવતી અને અખિલેશ યાદવ જેવા નેતાઓને પાછળ છોડી દીધા : ૩૭ વર્ષ જૂના રેકોર્ડને તોડી નાખ્‍યો ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે એક નવો રેકોર્ડ બનાવ્‍યો છે. યોગી આદિત્‍યનાથ રાજ્‍યમાં સૌથી લાંબા સમય સુધી મુખ્‍યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ નેતા બન્‍યા છે. તેમણે રાજ્‍યના પ્રથમ મુખ્‍યમંત્રી ગોવિંદ વલ્લભ પંતનો રેકોર્ડ તોડ્‍યો છે. યોગી આદિત્‍યનાથે અત્‍યાર સુધી ૮ વર્ષ અને ૧૩૨ દિવસનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. જયારે ગોવિંદ વલ્લભ પંતનો કુલ કાર્યકાળ આઝાદી પૂર્વ સહિત ૮ વર્ષ અને ૧૩૨ દિવસનો રહ્યો હતો. યોગી આદિત્‍યનાથે ૧૯ માર્ચ ૨૦૧૭ના રોજ મુખ્‍યમંત્રી પદની શપથ લીધી હતી. જયારે વર્ષ ૨૦૨૨માં તે સતત બીજી વખત સીએમ બન્‍યા છે. યોગી આદિત્‍યનાથ ઉત્તર પ્રદેશના ૨૨માં મુખ્‍યમંત્રી છે. તે ગોરખનાથ મઠના મહંત છે. આ ઉપરાંત તે એવા પ્રથમ મુખ્‍યમંત્રી છે જેમણે સતત બીજી વાર મુખ્‍યમંત્રી પદના શપથ લીધા છે. યોગી આદિત્‍યનાથે વર્ષ ૧૯૯૮માં ૨૬ વર્ષની ઉંમરમાં ગોરખપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને રાજનીતિના પ્રવેશ મેળવ્‍યો હતો. તે દેશના યુવા સાંસદ હતા. તે સતત પાંચ વાર ગોરખપુર બેઠક પરથી લોકસભા પહોંચ્‍યા હતા. યોગી આદિત્‍યનાથની રાજકીય સફર વર્ષ ૧૯૯૮માં શરુ થઈ હતી. તેમજ મુખ્‍યમંત્રી બન્‍યા બાદ તેમણે અનેક પરંપરાઓને તોડી હતી. જેમાં એવું કહેવામાં આવતું હતું કે જે મુખ્‍યમંત્રી નોઈડાની મુલાકાત લે છે તે બીજી વાર મુખ્‍યમંત્રી નથી બનતા. તેમજ પહેલાની સરકારો નોઈડાના વિકાસ યોજનાઓનો લખનૌથી ઓનલાઈન શુભારંભ કરવામાં આવતો હતો. જોકે, યોગી આદિત્‍યનાથે આ પરંપરાને તોડી અને સીએમ બન્‍યા બાદ અનેક વાર નોઈડાની મુલાકાત લીધી હતી. તેમજ પ્રથમ કાર્યકાળ બાદ બીજો કાર્યકાળ પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.      

સંબંધિત સમાચાર