રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય7 ઑગસ્ટ, 2025| Super Admin

યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર, દિલ્હી ઉપર પૂરનું સંકટ

યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર, દિલ્હી ઉપર પૂરનું સંકટ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદના કારણે યમુના નદીનું પાણી ભયસપાટીથી ઉપર પહોંચી ગયું છે, જેના કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂરનું જોખમ વધી ગયું છે દિલ્હીમાં યમુના નદીનું પાણી વધવાને કારણે વહીવટી તંત્રે નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સ્થળાંતરની તૈયારી કરવા સૂચના આપી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં ભૂકંપના આંચકા, મધ્યપ્રદેશ સુધી અસર રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં આજે સવારે ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા રાજસ્થાનથી મધ્યપ્રદેશ સુધી અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પ્રતાપગઢથી ૨૦ કિલોમીટર દૂર હતું અને તેની ઊંડાઈ ૫ કિલોમીટર હતી. આ ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી, પરંતુ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશના કેટલાક સરહદી વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. વહીવટી તંત્રે લોકોને ઘરની બહાર ખુલ્લી જગ્યાએ રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.      

સંબંધિત સમાચાર