રખેવાલ
બ્રેકિંગ
રાષ્ટ્રીય4 એપ્રિલ, 2025

વક્ફ બિલ ચર્ચા પર કેરળના અખબારે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની શા માટે ટીકા કરી? જાણો...

વક્ફ બિલ ચર્ચા પર કેરળના અખબારે વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની શા માટે ટીકા કરી? જાણો...

મલયાલમ દૈનિક સુપ્રભાથમે પણ રાહુલ ગાંધી, જે લોકસભામાં વિરોધ પક્ષના નેતા છે, તેમના વક્ફ બિલ વિરુદ્ધ ન બોલવા બદલ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સંસદમાં વક્ફ (સુધારા) બિલ, 2025 પર ચર્ચા દરમિયાન ગેરહાજરી બદલ વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીની શુક્રવારે એક મલયાલમ અખબાર દ્વારા તેમના સંપાદકીયમાં ટીકા કરવામાં આવી હતી. મલયાલમ દૈનિક સુપ્રભાથમ સમસ્ત કેરળ જેમ-ઇયાતુલ ઉલામા દ્વારા ચલાવવામાં આવે છે, જે આ પ્રદેશની એક અગ્રણી મુસ્લિમ સંસ્થા છે. તેમના અખબારના એક તંત્રીલેખમાં, તેમણે સંસદમાં વક્ફ (સુધારા) બિલ પસાર થવા અને પ્રભાવશાળી કોંગ્રેસ નેતાઓની નોંધપાત્ર ગેરહાજરીની ટીકા કરી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના ટાંકવામાં આવેલા તંત્રીલેખમાં લખ્યું છે કે, "વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી, જેમને દેશ ખૂબ અપેક્ષાઓથી જુએ છે, તેઓ પાર્ટીના વ્હીપ છતાં સંસદમાં આવ્યા નહીં. તે એક કલંક તરીકે રહેશે. બિલ પર ચર્ચા થઈ ત્યારે તેઓ ક્યાં હતા તે પ્રશ્ન હંમેશા રહેશે. વાયનાડ મતવિસ્તારમાં મુસ્લિમ મતદારોનો મોટો આધાર છે અને IUML જેવા પ્રાદેશિક મુસ્લિમ પક્ષોએ અગાઉ પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો જેથી તેઓ બેઠક જીતી શકે.

સંબંધિત સમાચાર