રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
એસ્ટ્રોલોજી12 જાન્યુઆરી, 2025| Super Admin

મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે મહત્વ? શાહી સ્નાનની બધી તારીખો નોંધો

મહાકુંભમાં શાહી સ્નાનનું શું છે મહત્વ? શાહી સ્નાનની બધી તારીખો નોંધો
પ્રયાગરાજમાં 13મી જાન્યુઆરીથી મહાકુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે. કુંભ દરમિયાન, ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરે છે. ધાર્મિક માન્યતા છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે મહાકુંભ દરમિયાન જો કોઈ વ્યક્તિ પ્રયાગરાજમાં ત્રણ દિવસ સુધી નિયમિત રીતે સ્નાન કરે છે તો તેને એક હજાર અશ્વમેધ યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. કુંભ પર્વ દરમિયાન તમે ગમે ત્યારે સ્નાન કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો, પરંતુ શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે. તો ચાલો જાણીએ મહાકુંભની પ્રથમ શાહી ક્યારે યોજાશે અને તેનું ધાર્મિક મહત્વ શું છે. મહાકુંભમાં શાહી સ્નાનનું શું મહત્વ છે?  શાહી સ્નાન એટલે મનની અશુદ્ધિઓ દૂર કરનાર સ્નાન. મહાકુંભનું પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી 2025ના રોજ યોજાશે. શાહી સ્નાન દરમિયાન નાગા સાધુઓ પહેલા સ્નાન કરે છે. આ પછી જ સામાન્ય લોકો સ્નાન કરી શકશે. શાહી સ્નાનના દિવસે સંગમમાં સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. એટલું જ નહીં, શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી વ્યક્તિ આ જન્મના પાપોની સાથે પાછલા જન્મના પાપોમાંથી મુક્તિ મેળવે છે. મહાકુંભમાં શાહી સ્નાનના દિવસે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. મહાકુંભ 2025 શાહી સ્નાન તારીખો
  1. પ્રથમ શાહી સ્નાન- 14 જાન્યુઆરી 2025, મકરસંક્રાંતિ
  2. બીજું શાહી સ્નાન- 29 જાન્યુઆરી 2025, મૌની અમાવસ્યા
  3. ત્રીજું શાહી સ્નાન- 3 ફેબ્રુઆરી 2025, સરસ્વતી પૂજા, બસંત પંચમી

સંબંધિત સમાચાર