રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ24 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાટણના જૈન મંદિરમાં અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દાનપેટી માથી રૂ.15 હજાર રોકડ ઉઠાવી ફરાર

પાટણના જૈન મંદિરમાં અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી દાનપેટી માથી રૂ.15 હજાર રોકડ ઉઠાવી ફરાર
મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી: પાટણના પ્રસિદ્ધ પંચાસર જૈન મંદિર ને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા જૈન સમુદાયમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો આ ચોરીની ઘટનાની જાણ જૈન મંદિર ના મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે ઘટના સ્થળે આવી ચોરીને અંજામ આપનાર તસ્કરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ પાટણના જૈન પંચાસર મંદિરમાં રવિવારે સાંજે દશૅનાર્થીઓ દશૅન કરી ને નિકળ્યા બાદ ફરજ પરના મેનેજર દ્વારા મંદિરને બંધ કરી પોતાના ઘરે ગયા હતા ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમો એ જૈન મંદિર ને નિશાન બનાવી અંદર રહેલી દાનપેટી તોડી રોકડ રકમ રૂપિયા 15 હજાર જેટલી ચોરી ફરાર થઈ જતાં અને આ બનાવની જાણ સવારે જૈન મંદિર આવેલા મેનેજરને થતાં તેઓએ સ્થાનિક જૈન અગ્રણીઓને ધટના ની જાણ કરતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બનાવની જાણ મેનેજર દ્વારા એ ડિવિઝન પોલીસ ને કરતા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ ના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર