વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર; રખડતા ઢોરને કારણે ઊંઝા તાલુકાના દાસજ ગામના યુવાનનું બે દિવસ અગાઉ સાંઈબાબા મંદિર નજીક થયેલ અકસ્માતમાં મોત નિપજ્યું હતું જેને લઈ આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. રખડતા ઢોરને કારણે થયેલી દુર્ઘટનાને લઈ તાત્કાલિક પગલાં લેવા મુદ્દે રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ઊંઝા તાલુકાના દાસજ ગામના કેતનભાઇ ભરતભાઈ પટેલ ઉવ.30 મોટરસાયકલ લઈ ઊંઝા દાસજ રોડ પર સાંઈબાબા મંદિર નજીક પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક ગાય વચ્ચે આવતા અકસ્માત સર્જાયો હતો અને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. આવી દુર્ઘટનાઓ અગાઉ પણ બનતી આવી છે. જેથી શહેરમાં રખડતા ઢોરને તાત્કાલિક પકડી ગૌ શાળામાં મોકલવાની ઘટતિ કાર્યવાહી થાય, ઢોરના માલિકની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી તથા દંડ ધરવામાં આવે, શહેરના મુખ્ય માર્ગો અને બજારમાં સીસીટીવીના માધ્યમથી દેખરેખ રાખવામાં આવે સહિતની માંગ કરવામાં આવી હતી.
રખડતા ઢોરને કારણે થયેલી દુર્ઘટનાને પગલે તાત્કાલિક પગલાં લેવા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

ટેગ્સ:#Unjha Taluka#Road Safety Concerns#Unjha Mamlatdar#Vishva Umiya Foundation#Stray Cattle Accident#Saibaba Temple Incident#Immediate Action Demand#Cattle Management Solutions#Legal Action Against Cattle Owners#CCTV Monitoring Proposal#Community Safety Initiatives#Public Representation for Change#Traffic Accident Awareness
સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
17 કલાક પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
19 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
19 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
