ઊંઝા હાઈવે સર્કીટ હાઉસ સામે આવેલ શહેરમાં જવાનો અંડરબ્રિજ કામકાજને કારણે 15 દિવસ બંધ રહેશે. જેથી હાઈવે થી શહેરમાં પ્રવેશ કરનાર અને શહેરમાંથી હાઈવે આવનાર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહન ચાલકો શહેરમાંથી બહાર નીકળી હાઈવે પહોંચવા અને ઉંઝા હાઈવે જવા માટે આ અંડરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ સંબંધિત તંત્ર દ્વારા કામકાજ કરવા માટે આ અંડરબ્રિજ ૧૫ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અંડરબ્રિજ બંધ થવાથી વાહન ચાલકો માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઊંઝા શહેરમાંથી મક્તુપુર તરફ જતા આવતા રોજિંદા મુસાફરો માટે મહત્વના સમાચાર છે જેઓએ 15 દિવસ સુધી અન્ય માર્ગનો ઉપયોગ કરવો.
ઊંઝા સર્કિટ હાઉસ પાસે આવેલ અંડરબ્રિજમાં ચાલતા રિપેરિંગ કામકાજને લઈ 15 દિવસ બંધ

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
2 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
5 દિવસ પહેલા
