રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત21 નવેમ્બર, 2024| Super Admin

અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની બદલી

અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની બદલી

દિવાળી બાદ ફરીથી બદલીની મોસમ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેરમાં 13 વહીવટદારોની એકાએક બદલીથી હડકંપ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં વહીવટ કરતા 13 પોલીસ કર્મચારીઓની બદલી કરવાના આદેશ વહીવટી એડીજીપી ખુરશીદ અહેમદે આપ્યા છે. લાંબા સમયથી વહીવટ કરતા પોલીસ કર્મીઓની અન્ય જીલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસના નાક નીચે ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમી રહી હોય છે ત્યાં સાદા કપડામાં ફરજ બજાવતા વહીવટદારો ઘણી વખત પોલીસ ઈન્સપેક્ટરને રૂપિયા કમાવી આપતા હોય છે. તેઓ પોલીસની સેવા, સારસંભાળનું કામકાજ કરતા હોય છે. શહેરમાં 7 ઝોનમાં 45થી વધુ પોલીસ સ્ટેશન આવ્યા હોવા છતાં માત્ર 13 વહીવટદારોની શા માટે બદલી કરાઈ તેવો ગણગણાટ પોલીસબેડામાં થઈ રહ્યો છે. વહીવટ ઘણા કર્મીઓ કરતા હશે તો બાકીનાની કેમ બદલી કરવામાં આવી નથી? ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીનું ધ્યાન રાખનારાઓની જગ્યા યથાવત્ છે. ઉપરાંત 2 થી 3 પોલીસ કર્મીઓ તો વહીવટ પણ કરતા નથી છતા તેમની બદલી કી નખાતા વહીવટદારોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

સંબંધિત સમાચાર