રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ24 એપ્રિલ, 2026| Super Admin

પાટણમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે સોની વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

પાટણમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે સોની વેપારી પર ત્રણ શખ્સોનો હુમલો

વેપારીને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ શહેરમાં ચાંદીના બાકી રૂપિયાની ઉઘરાણી મામલે એક સોની વેપારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં વેપારીને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગે પાટણ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સોની વેપારીએ નોધાવેલ ફરિયાદ મુજબ, પાટણના જલારામ ફ્લેટમાં રહેતા મયુરભાઈ ગંગારામદાસ સોનીએ વર્ષ ૨૦૨૨ માં નીલેશભાઈ ગીરીશભાઈ સોની પાસેથી ૩ કિલ ૫૧૭ ગ્રામ ચાંદી જાગડ પર લીધી હતી.આ ચાંદીના હિસાબ પેટે રૂ. ૨.૪૦ લાખ ચૂકવવાના બાકી હતા.

ગત તારીખ ૧૮ એપ્રિલ, ૨૦૨૬ નારોજ રાત્રિના ૧૨.૧૫ વાગ્યાના અરસામાં નીલેશભાઈ સોની, ધાર્મિક રજનીકાંત સોની અને ધાર્મિક ભુપેન્દ્રભાઈ સોની ફરિયાદીના ઘર નીચે આવ્યા હતા. તેમણે ફોન કરીને મયુરભાઈને નીચે બોલાવ્યા અને બાકી રકમની માંગણી કરી હતી.મયુરભાઈએ હાલમાં પૈસા ન હોવાનું અને સગવડ થયે ચૂકવી દેવાનું જણાવતા નીલેશભાઈ સોની ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા.વેપારીએ જાહેરમાં હોબાળો ન કરવા અને શાંતિથી વાત કરવાનું કહેતા મામલો વધુ બિચક્યો હતો. આરોપીઓએ મયુરભાઈ સાથે ઝપાઝપી કરી હતી, જેમાં તેમને માથાના ભાગે ઈજા થતા લોહી નીકળવા લાગ્યું હતું.આ સમયે મયુરભાઈની પત્ની અને દીકરીઓ વચ્ચે પડતા તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. અન્ય બે શખ્સોએ પણ વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાટણ પોલીસે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૩૫૧(૩), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર