રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
રાષ્ટ્રીય6 ઑગસ્ટ, 2025| Super Admin

આરએસએસના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં દિલ્‍હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાશે

આરએસએસના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં દિલ્‍હીમાં ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાશે
આરએસએસની સ્‍થાપના ૨૭ સપ્‍ટેમ્‍બર, ૧૯૨૫ના રોજ વિજયાદશમીના દિવસે ડો. કેશવ બલિરામ હેડગેવાર દ્વારા નાગપુરમાં કરવામાં આવી હતી : દિલ્‍હી બાદ બેંગલુરુમાં નવેમ્‍બરમાં, ત્‍યારબાદ કોલકતા અને પછી ફેબ્રુઆરી-૨૦૨૬માં મુંબઈમાં કાર્યક્રમ યોજાશે રાષ્ટ્ર સ્‍વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પુરા થવાની ઉજવણીની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. શતાબ્‍દી મહોત્‍સવને ધ્‍યાને રાખીને ‘૧૦૦ વર્ષની સંઘ યાત્રા - નવી ક્ષિતિજ' કાર્યક્રમનું પણ આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકર કહ્યું છે કે, દિલ્‍હીમાં ૨૬થી ૨૮ ઓગસ્‍ટ ત્રણ દિવસનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવત પણ સામેલ થશે. શેડ્‍યૂલ મુજબ દિલ્‍હીમાં સાંજે ૫.૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આરએસએસના ૧૦૦ વર્ષ પૂરા થવા નિમિત્તે સંઘ દ્વારા દેશના વિવિધ જિલ્‍લાઓમાં ૧૦૦થી વધુ સેમિનારનું આયોજન પણ કરવામાં આવશે. દિલ્‍હી ઉપરાંત દેશના મુખ્‍ય ચાર શહેરોમાં પણ કાર્યક્રમ યોજવામાં આવશે. દિલ્‍હી બાદ બેંગલુરુમાં નવેમ્‍બરમાં, ત્‍યારબાદ કોલકતા અને પછી ફેબ્રુઆરી-૨૦૨૬માં મુંબઈમાં કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમ દરમિયાન સંઘના ૧૦૦ વર્ષના કાર્યની માહિતી પણ આપવામાં આવશે.            

સંબંધિત સમાચાર