પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ,જિલ્લાવિકાસ અધિકારી સી.એલ.પટેલ, SDRFની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્રની ટીમ દ્વારા રાહતની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. ઉપરાંત ભારે વરસાદના કારણે ખાસ કરીને સાંતલપુર તાલુકાના વૌવા ગામે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા SDRF ની ટીમ દ્વારા જ ૨૭ લોકોનું રેસક્યું કરી સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
સાંતલપુરના વૌવા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા ૨૭ લોકોનું SDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયુ

સંબંધિત સમાચાર
પાટણHNGUનો મોટો નિર્ણય : યુનિવર્સિટીની મંજૂરી વિના PG કેન્દ્રોમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ
6 કલાક પહેલા
પાટણપાટણ : રિક્ષામાં બેઠેલી વૃદ્ધાને છરી બતાવી દાગીના-રોકડની લૂંટ, મહિલા સહિત ત્રણ સામે ગુનો
6 કલાક પહેલા
પાટણપાટણ પંથકમાં હનીટ્રેપનો આતંક : ફેસબુક-ઇન્સ્ટા પર મિત્રતા કરી લાખો પડાવતી ટોળકી ઝડપાઇ
6 કલાક પહેલા
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
