ઉત્તરાખંડની ધરતી ફરી ભૂકંપથી હચમચી, આ શહેરમાં 6 દિવસથી સતત આવી રહ્યા છે આંચકા

પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં આજે પણ ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. ઉત્તરકાશીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે બપોરે 3.28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જે બાદ લોકો ગભરાઈ ગયા હતા અને ઉતાવળમાં પોતાના ઘરની બહાર આવી ગયા હતા.
શું મોટા ભૂકંપ આવવાના કોઈ સંકેત છે?
તમને જણાવી દઈએ કે છેલ્લા 7 દિવસમાં ઉત્તરકાશીમાં અનેક ભૂકંપના આંચકા આવ્યા છે. ઉત્તરકાશી ક્ષેત્ર ભૂકંપ ઝોન ચાર અને પાંચમાં આવે છે, જેના કારણે આ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. વારંવારના ભૂકંપના કારણે લોકો ભયભીત છે. જિલ્લામાં સતત આવી રહેલા ભૂકંપના આંચકા કોઈ મોટા ભૂકંપના સંકેત નથી. આ સાથે ભૂકંપથી થયેલા નુકસાનની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પહાડ પરથી પથ્થરો પડવા લાગ્યા
અગાઉ ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પણ ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરકાશીમાં ગુરુવારે સવારે 8.19 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધવામાં આવી હતી. આ પહેલા સવારે 7.41 કલાકે ઓછી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.7 નોંધાઈ હતી.
ઉત્તરકાશીમાં બીજા ભૂકંપનો આંચકો ખૂબ જ જોરદાર હતો. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે વરુણાવત પર્વતના ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારમાંથી પણ પથ્થરો પડવા લાગ્યા હતા. લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયદેશને ઇબોલા મુક્ત રાખવાના પ્રયાસરૂપે, અમદાવાદ એરપોર્ટ પર આફ્રિકાથી આવતા મુસાફરોનું ખાસ સ્ક્રીનીંગ ચાલુ
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયસેપ્ટિક ટાંકીમાં શ્વાસ રૂંધાવાથી છ લોકોના મોત
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયCNGના ભાવમાં પ્રતિ કિલોએ ₹૨નો ધરખમ વધારો, પેટ્રોલ-ડીઝલ પણ ભડકે બળ્યા
4 દિવસ પહેલા
રાષ્ટ્રીયપીએમ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા, સીએમ યોગીએ પણ તેમને અભિનંદન આપ્યા
4 દિવસ પહેલા
