રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
આંતરરાષ્ટ્રીય21 માર્ચ, 2026| Super Admin

ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીત : દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખવા PM મોદીનો ઈરાન સમક્ષ આગ્રહ

ઈરાની રાષ્ટ્રપતિ સાથે વાતચીત : દરિયાઈ માર્ગો સુરક્ષિત રાખવા PM મોદીનો ઈરાન સમક્ષ આગ્રહ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પજશકિયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને ઈદ અને નવરોઝના પવિત્ર તહેવારોની શુભકામનાઓ પાઠવી હતી. આ અંગેની જાણકારી આપતા પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ભારત મિડલ ઈસ્ટમાં શાંતિ અને સ્થિરતાની આશા રાખે છે. વાતચીત દરમિયાન PM મોદીએ મિડલ ઈસ્ટના ક્ષેત્રમાં ઓઈલ અને વીજળી જેવા જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આવા હુમલાઓથી વૈશ્વિક સપ્લાય ચેઈન અને પ્રાદેશિક શાંતિ પર નકારાત્મક અસર પડે છે. વધુમાં, વેપાર અને વાણિજ્ય માટે દરિયાઈ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રાખવા પર ભાર મૂક્યો હતો. આ સાથે જ, ઈરાનમાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સહયોગ આપવા બદલ PM મોદીએ ઈરાન સરકારનો આભાર માન્યો હતો.

 

સંબંધિત સમાચાર