સોમવારે કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચ સામે મોટો વિરોધ પ્રદર્શન કર્યો છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, આ સમગ્ર ઘટના અંગે કર્ણાટક સરકારના સહકારી મંત્રી કોંગ્રેસના નેતા કે.એન. રાજન્નાએ રાહુલ ગાંધી અને પાર્ટી લાઇનથી અલગ નિવેદન આપ્યું હતું. રાજન્નાએ રાહુલ ગાંધીના મત ચોરીના આરોપોની ટીકા કરતા કહ્યું હતું કે મતદાર યાદી કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવી હતી. હવે આ નિવેદન મંત્રી કે.એન. રાજન્ના માટે મોંઘુ સાબિત થયું છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસ હાઇકમાન્ડના નિર્દેશ પર સીએમ સિદ્ધારમૈયાએ સહકારી મંત્રી કે.એન. રાજન્નાનું રાજીનામું લઈ લીધું છે. કર્ણાટકના સહકાર મંત્રી અને કોંગ્રેસના નેતા કે.એન. રાજન્નાએ રવિવારે તુમકુરુમાં રાહુલ ગાંધીના મત ચોરીના આરોપોની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "આવું ન કહેવું જોઈએ... મતદાર યાદી ક્યારે તૈયાર કરવામાં આવી હતી? આ મતદાર યાદી કોંગ્રેસના શાસન દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. તે સમયે કોઈ કેમ બોલ્યું નહીં? આંખો કેમ બંધ કરવામાં આવી? જો હું હવે વધુ બોલું તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે. એ સાચું છે કે ભાજપે ખોટું કર્યું છે, આ વાતને નકારી શકાય નહીં. પરંતુ આ બધું આપણી નજર સામે થયું, આ પણ વિચારવાનો વિષય છે. ભવિષ્યમાં આપણે વધુ સાવધ રહેવું પડશે." મળતી માહિતી મુજબ, હાઈકમાન્ડના નિર્દેશ પર, સીએમ સિદ્ધારમૈયાએ સહકાર મંત્રી કેએન રાજન્નાનું રાજીનામું લઈ લીધું છે. મુખ્યમંત્રીના નજીકના ગણાતા મંત્રી કેએન રાજન્નાનાં નિવેદનથી રાહુલ ગાંધી ખૂબ ગુસ્સે થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીને હાઈકમાન્ડ તરફથી સ્પષ્ટ સૂચના મળી હતી કે રાજન્નાને તાત્કાલિક કેબિનેટમાંથી કાઢી મૂકવા પડશે.
રાહુલ ગાંધી વિરુદ્ધનું નિવેદન મોંઘુ પડ્યું, કોંગ્રેસના આ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયપેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા... રામ નવમીનો પ્રસાદ ખાધા પછી 60 લોકો બીમાર, 46 હોસ્પિટલમાં દાખલ
18 કલાક પહેલા
રાષ્ટ્રીયભારત માટે મોટી રાહત, વધુ 2 LPG જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝથી રવાના થયા
18 કલાક પહેલા
રાષ્ટ્રીયગેસ માટે 4-5 કલાક લાઈનમાં ઉભા રહેવાથી પૂર્વ સરપંચનું મોત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયરામ નવમીની શોભાયાત્રા દરમિયાન ભાજપના ધારાસભ્યએ હવામાં ગોળીબાર કર્યો
1 દિવસ પહેલા
