દેશના રાજકારણ અને સોશિયલ એક્ટિવિઝમ ક્ષેત્રે એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. લદ્દાખના જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે હવે 'કોકરોચ જનતા પાર્ટી' એટલે કે CJP ની માંગણીઓ અને તેમની વિચારધારાને ખુલ્લું સમર્થન આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. સોનમ વાંગચુકે એક વીડિયો મેસેજ જારી કરીને જણાવ્યું છે કે, તેમણે CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે સાથે વિગતવાર વાતચીત કરી છે. વાંગચુકે ઉમેર્યું કે અભિજીત એક દેશપ્રેમી છે અને દેશમાં સકારાત્મક બદલાવ ઈચ્છે છે. આ સાથે જ સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને મોટું અલ્ટીમેટમ આપતા કહ્યું છે કે, જો 5 જૂન સુધીમાં દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું નહીં આપ્યું, તો તેઓ પોતે 6 જૂને દિલ્હીના જંતર-મંતર પર CJP ના પ્રદર્શનમાં સામેલ થશે.
બીજી તરફ, CJP ના ફાઉન્ડર અભિજીત દીપકે 6 જૂને અમેરિકાથી ભારત પરત ફરી રહ્યા છે. તેઓ એરપોર્ટથી સીધા જ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જશે અને પ્રદર્શન માટે કાયદેસરની પરવાનગી માંગશે. તેમણે લોકોને મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. મિત્રો, શિક્ષણ મંત્રીના રાજીનામાની આ માંગ અને સોનમ વાંગચુકના સમર્થન પર તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર જણાવો. દેશની આવી જ પળેપળની રાજકીય અપડેટ્સ માટે વીડિયોને લાઈક-શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો. ધન્યવાદ!
સોનમ વાંગચુકનું એલાન: 'કોકરોચ જનતા પાર્ટી' ના સમર્થનમાં 6 જૂને જંતર-મંતર પર ગજવશે દિલ્હી!

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમાલવિયા નગરમાં આગ લાગવાથી 21 લોકો જીવતા બળી ગયા, મહિલાઓએ આગમાં કૂદી પડી
29 મિનિટ પહેલા
રાષ્ટ્રીયચોમાસા પહેલા 56 લાખ ખેડૂતો માટે સારા સમાચાર; ફડણવીસ સરકારે લોન માફીને મંજૂરી આપી, કુલ ₹36585 કરોડ
31 મિનિટ પહેલા
રાષ્ટ્રીયપટનામાં ખાન સરની ઓફિસ પર હુમલો, જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટરની ધરપકડ
1 કલાક પહેલા
રાષ્ટ્રીયપ્રયાગરાજમાં બંધ રૂમમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા
1 કલાક પહેલા
