રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા9 જુલાઈ, 2026| Super Admin

સિસ્ટમમાં ભ્રષ્ટાચારની ગંધ? મહેસાણામાં ટૂંકા ગાળામાં જ ડિવાઈડર તોડી પડાતા આક્રોશ

સિસ્ટમમાં ભ્રષ્ટાચારની ગંધ? મહેસાણામાં ટૂંકા ગાળામાં જ ડિવાઈડર તોડી પડાતા આક્રોશ

મહેસાણા નગરપાલિકાની કામગીરી વધુ એક વખત વિવાદોના ઘેરામાં આવી છે. શહેરના રાધનપુર રોડ પર માત્ર ત્રણ મહિના પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડ ડિવાઈડરોને અચાનક તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિકાસના નામે કરાયેલા આ કથિત આયોજનમાં નવા બનાવેલા ડિવાઈડરની સાથે ઉછેરવામાં આવેલા વૃક્ષોનો પણ નાશ કરવામાં આવતા સ્થાનિક લોકો અને વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ મુદ્દે મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ શાસકોની નીતિ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉ. મેઘા પટેલે સવાલ ઉઠાવ્યો છે કે આટલા ટૂંકા સમયગાળામાં જ કરોડો રૂપિયાના ખર્ચે ઊભી કરાયેલી સરકારી સંપત્તિને તોડીને ફરીથી નવા ડિવાઈડર બનાવવાની નોબત કેમ આવી? તેમણે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા પ્રજા પાસેથી બેવડો ટેક્સ વસૂલીને તેમના પરસેવાની કમાણીનો આ રીતે બેફામ વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જે બિલકુલ ચલાવી શકાય નહીં.

પ્રજાના નાણાંના થઈ રહેલા આ ખુલ્લા દુરુપયોગ સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. ડૉ. મેઘા પટેલે નગરપાલિકા પ્રશાસન પાસે માંગ કરી છે કે આ બિનજરૂરી ખર્ચ અને નવા બનેલા ડિવાઈડર તોડવા પાછળનું સાચું કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે. જો પાલિકા તંત્ર દ્વારા આ મામલે સંતોષકારક ખુલાસો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પ્રજાના હિતમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

ટેગ્સ:#mahesana

સંબંધિત સમાચાર