રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત29 ઑક્ટોબર, 2025| Super Admin

SIR અંગે ગુજરાત ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક; 6 રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધીઓઓને અપાશે તમામ પ્રકારની જાણકારી


(જી.એન.એસ) તા. 29

ગાંધીનગર,

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ગુજરાતમાં SIRની કામગિરી શરુ થવાની છે તે પૂર્વે રાજ્ય ચૂંટણી પંચની આજે ગાંધીનગર ખાતે રાજકીય પક્ષો સાથે ખાસ બેઠક યોજાવાની છે. બેઠકમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ પક્ષોના પ્રતિનિધીઓને SIR અંગેની જાણકારી અને સમગ્ર પ્રક્રિયાની માહિતી અપાશે.

SIR અંગે રાજ્ય ચૂંટણીપંચની આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. 6 રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધીઓ સાથે આ ખાસ બેઠક યોજાશે જેમાં BJP, INC, AAP, BSP, CPI, NPP ના પ્રતિનિધિ સાથે મુખ્ય ચૂંટણી અધિકારીના અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે.

આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીના પ્રતિનિધી સાથે ચર્ચા થશે. રાજકીય પક્ષોના પ્રતિનિધીઓને SIR મુદ્દે જાણકારી અપાઇ રહી છે. SIR શું છે અને તેનો આશય શું છે તથા SIR કઇ પ્રક્રિયાથી કરવામાં આવશે તે સહિતના તમામ મુદ્દાઓ પર રાજ્ય ચૂંટણી પંચ માહિતી આપશે.

ઉલ્લેખનિય છે કે SIR માં આગામી 4 નવેમ્બરથી BLO ડોર ટુ ડોર કાર્યવાહી કરશે એટલે કે દરેક ઘરની મુલાકાત લશે અને મતદાર યાદીની ચકાસણી વેરીફીકેશન કરશે.

ગુજરાતમાં બે તબક્કામાં SIR અભિયાન ચાલશે અને વર્ષ 2025ની યાદીને 2002ની યાદી સાથે સરખાવાશે તથા A-F એમ કુલ 6 શ્રેણીમાં મતદારોને વર્ગીકૃત કરાશે. મૃતક મતદારોના નામ કાઢી દેવાશે.



Source link

સંબંધિત સમાચાર