મહેસાણા નજીકના યાત્રાધામ પાલોદરમાં જોગણીઓ માતાજી મંદિર જવાના મુખ્ય માર્ગ પર ગટર ના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા અહીંથી પસાર થતા ગ્રામજનો અને યાત્રાળુ રોગચાળામાં સપડાય તેવી દહેસત ફેલાઈ છે. મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં તલાટી પોતાની મનમાનીથી ગ્રામજનોને પરેશાન કરી રહ્યાનું વધુ એક વાર સામે આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી પાલોદર ગામમાં મુખ્ય માર્ગ પાસેના દલિત વાસ પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેને કારણે ગામજનો અને અહીં આવતા યાત્રાળુઓ રોગચાળામાં સપડાય તેવી દહેશત ફેલાઈ છે.ગટરના પાણી ઘર સુધી પહોંચતા આ નિરાકરણ લાવવા દલિત વાસના રહિશો પંચાયતના મહિલા તલાટી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ તેમને ઉદ્ધત જવાબ આપ્યો હતો. જેને કારણે ગ્રામજનોમાં નારાજગી પ્રસરી છે.મહિલા તલાટી દ્વારા ગામમાં કેટલાક ખાસ લોકોના જ કામ કરી અને સાચા લાભાર્થીઓને સરકારી સહાયથી દૂર રખાતા હોવાની રાવ પણ ઉઠવા પામી છે
મહેસાણા નજીક યાત્રાધામ પાલોદરમાં ગટરના પાણી રસ્તા પર રેલાતા રોગચાળાનો ખતરો

સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
6 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
1 અઠવાડિયા પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
1 અઠવાડિયા પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
1 અઠવાડિયા પહેલા
