રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
મહેસાણા6 ઑક્ટોબર, 2025| Super Admin

મહેસાણા નજીક યાત્રાધામ પાલોદરમાં ગટરના પાણી રસ્તા પર રેલાતા રોગચાળાનો ખતરો

મહેસાણા નજીક યાત્રાધામ પાલોદરમાં ગટરના પાણી રસ્તા પર રેલાતા રોગચાળાનો ખતરો

મહેસાણા નજીકના યાત્રાધામ પાલોદરમાં જોગણીઓ માતાજી મંદિર જવાના મુખ્ય માર્ગ પર ગટર ના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા અહીંથી પસાર થતા ગ્રામજનો અને યાત્રાળુ રોગચાળામાં સપડાય તેવી દહેસત ફેલાઈ છે. મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં તલાટી પોતાની મનમાનીથી ગ્રામજનોને પરેશાન કરી રહ્યાનું વધુ એક વાર સામે આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી પાલોદર ગામમાં મુખ્ય માર્ગ પાસેના દલિત વાસ પાસે ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. જેને કારણે ગામજનો અને અહીં આવતા યાત્રાળુઓ રોગચાળામાં સપડાય તેવી દહેશત ફેલાઈ છે.ગટરના પાણી ઘર સુધી પહોંચતા આ નિરાકરણ લાવવા દલિત વાસના રહિશો પંચાયતના મહિલા તલાટી પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ તેમને ઉદ્ધત જવાબ આપ્યો હતો. જેને કારણે ગ્રામજનોમાં નારાજગી પ્રસરી છે.મહિલા તલાટી દ્વારા ગામમાં  કેટલાક ખાસ લોકોના જ કામ કરી અને સાચા લાભાર્થીઓને સરકારી સહાયથી દૂર રખાતા હોવાની રાવ પણ ઉઠવા પામી છે    

સંબંધિત સમાચાર