મેઘરજ તાલુકામાં ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય બની છે. ખેડૂતોએ ચાલુ સીઝનમાં ઘઉં, ચણા, મકાઈ, જીરું અને વરિયાળીનું વાવેતર કરી, મોંઘા બિયારણ અને સારી માવજત દ્વારા પાકને તૈયાર કર્યો છે. હવે જ્યારે પાક તૈયાર થવાની આણી પર છે, ત્યારે ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતો અને મહિલાઓને પોતાનું નિત્યક્રમનું કામકાજ છોડીને વહેલી સવારથી જ કકડતી ઠંડીમાં મેઘરજના ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. જો સમયસર ખાતર ન મળે તો ઘઉં, ચણા, જીરું અને વરિયાળી જેવા પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદેલા બિયારણ અને કરેલી મહેનત પર પાણી ફરી વળવાની ભીતી છે. ખેડૂતોની માગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનો પાક બચાવી શકાય અને આર્થિક નુકસાની ટાળી શકાય.
ખાતરની તીવ્ર અછત;ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય

સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસા સાયબર સેલની મોટી સફળતા: છેતરાયેલા સાત અરજદારોના ₹6.08 લાખ ખાતામાં પાછા અપાવ્યા
3 દિવસ પહેલા
અરવલ્લીઈડર મર્ડર મિસ્ટ્રી: ઝિંઝવા મહંત હત્યાકેસનો 7 મહિના બાદ ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓ ઝડપાયા
4 દિવસ પહેલા
અરવલ્લીઈડરના વૉર્ડ નં. ૩ ના રહીશો માટે કોમન પ્લોટની માંગ, ભીમ આર્મીએ આવેદનપત્ર પાઠવ્યું
5 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા પંચાયતમાં નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઈ
1 અઠવાડિયા પહેલા
