મેઘરજ તાલુકામાં ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય બની છે. ખેડૂતોએ ચાલુ સીઝનમાં ઘઉં, ચણા, મકાઈ, જીરું અને વરિયાળીનું વાવેતર કરી, મોંઘા બિયારણ અને સારી માવજત દ્વારા પાકને તૈયાર કર્યો છે. હવે જ્યારે પાક તૈયાર થવાની આણી પર છે, ત્યારે ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે. ખેડૂતો અને મહિલાઓને પોતાનું નિત્યક્રમનું કામકાજ છોડીને વહેલી સવારથી જ કકડતી ઠંડીમાં મેઘરજના ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. જો સમયસર ખાતર ન મળે તો ઘઉં, ચણા, જીરું અને વરિયાળી જેવા પાકોમાં જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના છે, જે ખેડૂતો માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોએ મોંઘા ભાવે ખરીદેલા બિયારણ અને કરેલી મહેનત પર પાણી ફરી વળવાની ભીતી છે. ખેડૂતોની માગ છે કે તેમને પૂરતા પ્રમાણમાં અને સમયસર ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનો પાક બચાવી શકાય અને આર્થિક નુકસાની ટાળી શકાય.
ખાતરની તીવ્ર અછત;ખાતરની ગંભીર અછતને કારણે ખેડૂતોની સ્થિતી દયનીય

સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસાનું સાકરીયા તસ્કરોના નિશાને: એકસાથે 15થી વધુ ખેતરોમાં કેબલ ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં એ.સી.બી.નો સપાટો: રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા વહીવટી તંત્રમાં ફફડાટ
4 દિવસ પહેલા
અરવલ્લીસાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં SOGની મેગા સ્ટ્રાઈક: જુના રામપુરામાં હાઈપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું
6 દિવસ પહેલા
અરવલ્લીપ્રાંતિજ હાઈવે પર ટ્રક કન્ટેનરમાં ભીષણ આગ: એક્સલ તૂટતા કેનાલની રેલિંગ સાથે અથડાઈ, લાખોનો સામાન ખાખ
1 અઠવાડિયા પહેલા
