રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય14 ઑગસ્ટ, 2025| Super Admin

કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ

કુપવાડામાં સુરક્ષાદળોને મોટી સફળતા : આતંકીઓના મદદગારોની ધરપકડ
ઓપરેશન દરમ્‍યાન ભારે માત્રામાં શસ્‍ત્રો-દારૂગોળો જપ્‍ત કર્યા : સર્ચ ઓપરેશન શરૂ સ્‍વતંત્રતા દિવસ પહેલા, સુરક્ષા દળોએ જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવારા જિલ્લામાં મોટી સફળતા મેળવી છે. સુરક્ષા દળોએ ઉત્તર કાશ્‍મીરના હંદવારા ક્ષેત્રના વજહામા વિસ્‍તારમાં લશ્‍કર-એ-તૈયબા સાથે સંકળાયેલા ત્રણ આતંકવાદી સહયોગીઓ (ઓવર ગ્રાઉન્‍ડ વર્કર્સ) ની ધરપકડ કરી છે. આ કામગીરી દરમિયાન મોટી માત્રામાં અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્‍યો છે. સુરક્ષા દળોને બાતમી મળી હતી કે હંદવાડાના વજહામામાં આતંકવાદી પ્રવળત્તિઓને અંજામ આપવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. તેના આધારે, ભારતીય સેના અને જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસે સંયુક્‍ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં, ત્રણ શંકાસ્‍પદોની અટકાયત કરવામાં આવી હતી, જેમની ઓળખ લશ્‍કર-એ-તૈયબા માટે કામ કરતા સહયોગીઓ તરીકે થઈ હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ ચાલી રહી છે, અને તેમની પાસેથી મળી આવેલા હથિયારોમાં પિસ્‍તોલ, હેન્‍ડ ગ્રેનેડ અને અન્‍ય વાંધાજનક સામગ્રીનો સમાવેશ થાય છે. સ્‍વતંત્રતા દિવસની આસપાસ આતંકવાદીઓના કોઈપણ મોટા કાવતરાને નિષ્‍ફળ બનાવવા માટે આ કાર્યવાહીને એક મહત્‍વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ અને સેનાએ આ કાર્યવાહીને વિસ્‍તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવાની તેમની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે વર્ણવી છે. અધિકારીઓએ જણાવ્‍યું હતું કે, આતંકવાદી નેટવર્કને નબળું પાડવા અને સ્‍થાનિક લોકોની સલામતી સુનિશ્‍ચિત કરવા માટે આવા ઓપરેશન સતત ચાલુ રહેશે.    

સંબંધિત સમાચાર