અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયનની હત્યાના પ્રત્યાઘાત પાટણમાં ગુંજ્યા

કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી કસુરવાર સામે કાયૅવાહી કરવા અને સ્કૂલની બેદરકારી બદલ સ્કૂલ બંધ કરવાની માંગ કરી
અમદાવાદના મણિનગર સ્થિત સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સન્તાનીની હત્યાના વિરોધમાં શુક્રવારે પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.તા.20 ઓગસ્ટ 2025ના રોજ બનેલી આ ઘટનાએ સમગ્ર પાટણ અને ઉત્તર ગુજરાતના સિંધી સમાજને હચમચાવી નાંખ્યો છે.
ત્યારે પાટણ સિધી સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં સમાજના આગેવાનોએ હત્યારાને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે જ સેવન ડે સ્કૂલની બેદરકારી બદલ શાળા બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આગેવાનોએ જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવી લાપરવાહી ચલાવી લેવાશે નહીં. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં પાટણ સિંધી સમાજના આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.
સંબંધિત સમાચાર
પાટણપાટણના વાતાવરણમાં અચાનક પલટો; ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન
1 દિવસ પહેલા
પાટણપાટણકા જુગારધામ પર ત્રાટકી LCB; ₹6.82 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સો જેલભેગા
1 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકાની કામગીરી: વોર્ડ નં-3માં ડ્રેનેજ સમસ્યાનો સુખદ અંત
1 દિવસ પહેલા
પાટણપાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની
2 દિવસ પહેલા
