મહેસાણાના રાધનપુર રોડ પર સુરતથી દિયોદર જતી એસટી બસનો અકસ્માત થયો છે. બસનું આગળનું ટાયર પંચર થતાં તે ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટના સમયે બસમાં સૂતેલા મુસાફરો ધ્રુજી ઉઠ્યા હતા. ડ્રાઈવરે તરત જ બસને કાબૂમાં લઈને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. આ એક્સપ્રેસ બસ પાટણથી દિયોદર જઈ રહી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક બસનું પંચર થયેલું ટાયર બદલ્યું હતું. ત્યારબાદ બસે ફરી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા.
રાધનપુર; સુરત થી દિયોદર જતી એસટી બસનો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ

ટેગ્સ:#No casualties#Emergency Response#Road Safety#Mehsana District#Travel Incident#passenger safety#Public Transportation#Radhanpur Road#ST Bus Accident#Surat to Deodar#Driver Ingenuity#Tire Puncture#Accident Rescue#Bus Resumption#Express Bus Service
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં નોકરીના નામે છેતરપિંડી: L&Tમાં નોકરી અપાવવાના બહાને લાખો પડાવનાર પાર્થ પટેલ સામે ફરિયાદ
1 દિવસ પહેલા
મહેસાણામસાલા નગરીમાં મંદીનો ફટકો: ઊંઝામાં જીરાના ઘટતા ભાવે જગતના તાતની મુશ્કેલી વધારી
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં ગૌ ભક્તોનો હુંકાર: ગૌમાતાને 'વિશ્વ માતા'નો દરજ્જો આપવા વિશાળ રેલી યોજાઈ
1 દિવસ પહેલા
મહેસાણારાધનપુરમાં લેન્ડ ગ્રેબિંગ પર તંત્રનો હથોડો: 5734 ચોરસ મીટર સરકારી જમીન પરના જૂના દબાણોનો સફાયો
2 દિવસ પહેલા
