પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ મથકે એક કરોડ પચ્ચીસ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. વારાહી એપીએમસી માર્કેટમાં જયવીર ટ્રેડર્સના માલિક પ્રવીણકુમાર જેહાભાઈ ચૌધરીએ ઊંઝા માર્કેટના એજન્ટ અમરતભાઈ જેશંગભાઈ ચૌધરી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 316(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો મુજબ, પ્રવીણકુમાર છેલ્લા પાંચ વર્ષથી વારાહી ગંજબજારમાં જીરું, વરિયાળી અને ઈસબગુલનો વેપાર કરે છે. આરોપી અમરતભાઈ ચૌધરી ઊંઝા માર્કેટમાં એજન્ટ તરીકે કામ કરતા હોવાથી અને સમાન સમાજના હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. આ વિશ્વાસના આધારે, ફરિયાદી પ્રવીણકુમારે 20 માર્ચ, 2024 થી 13 જુલાઈ, 2024 દરમિયાન અમરતભાઈને એજન્ટ તરીકે વેચાણ કરવા માટે જીરું, ઈસબગુલ અને સુવાનો માલ ગાડીઓ ભરીને મોકલ્યો હતો. આ સમયગાળામાં કુલ રૂ.10,34,34,360 નો માલ વેચવામાં આવ્યો હતો.આરોપીએ વેચાણ પેટે રૂ.9,09,34,360 ફરિયાદીને ચુકવી આપ્યા હતા, પરંતુ બાકી નીકળતી 3. 1.25.00.000 ની રકમ વારંવાર માંગવા છતાં ચૂકવી ન હતી. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર પાવતીઓ મોકલી હતી અને છેતરપિંડીના ઈરાદે સહી કરેલા કોરા ચેકો પણ આપ્યા હતા.
વારાહીના વેપારી સાથે રૂ.1.25 કરોડની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
1 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
1 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
1 દિવસ પહેલા
