રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ5 એપ્રિલ, 2025| Super Admin

પાટણ નગર પાલિકામાં ટેકનિકલ ખામીના કારણે સવૅર ડાઉન રહેતા વેરા ભરવા આવેલ લોકો ને ધકકો પડયો

પાટણ નગર પાલિકામાં ટેકનિકલ ખામીના કારણે સવૅર ડાઉન રહેતા વેરા ભરવા આવેલ લોકો ને ધકકો પડયો
બપોર બાદ ટેકનિકલ ખામી દૂર થતાં છ કાઉન્ટર પર વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ; પાટણ નગરપાલિકા દ્વારા ગુરુવાર સાંજથી વષૅ 2025-26 ના એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે શુક્રવારે બીજા દિવસે એડવાન્સ વેરા ભરપાઈ કરવા વહેલી સવારથી જ મિલકત ધારકો ની ભીડ પાલિકાના વેરા શાખા માં જોવા મળી હતી. નગરપાલિકા ખાતે સવારે 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી અને ગાંધી બાગના સેવિક સેન્ટર ખાતે સવારે 10:30 થી સાંજે 4 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવી રહ્યા છે. જોકે, સવારના સમયે સર્વરમાં એરરના કારણે એડવાન્સ વેરા સ્વીકાર વાની કામગીરી ઠપ્પ બનતા વેરો ભરપાઈ કરવા આવેલ અનેક લોકોને ધકકો ખાવા નો વારો આવ્યો હતો. આ બાબતે વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે નાગરિકોની સુવિધા માટે 6 કાઉન્ટર પર વેરો સ્વીકારવામાં આવી રહ્યો છે. QR કોડ દ્વારા પણ વેરાની ચુકવણી કરી શકાશે. વિશેષ રાહત તરીકે 30 જૂન સુધી પાણી અને ડ્રેનેજ વેરો કોઈપણ પ્રકારની નોટિસ વગર સ્વીકારવામાં આવશે. મિલકત ધારકોએ મિલકત,પાણી અને ડ્રેનેજ વેરા ભરવા માટે લાંબી કતારો લગાવી હતી. પરંતુ ટેકનિકલ ખામીના કારણે વેરો ભરી શક્યા ન હોય પરત ફરવુ પડ્યું હતું.જોકે બપોરે ૩ વાગ્યા પછી ટેકનિકલ ખામી દૂર થતાં વેરા શાખાના 6 કાઉન્ટર ઉપર વેરા સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું વેરા શાખાના અધિકારીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર