રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ5 ડિસેમ્બર, 2025| Super Admin

રાધનપુરની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પાટણ LCB પોલીસ

રાધનપુરની ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલતી પાટણ LCB પોલીસ
રૂ.3.22 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપી ઝડપાયા પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્હાબાદ (વડલારા) ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી 4 આરોપીને ઝડપી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂ. 3,22,893/-ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીની ઘટનામાં, અલ્હાબાદ (વડલારા) ગામના મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરેથી 58,000/-ના સોના-ચાંદીના દાગીના અને રૂ. 1,00,000/- રોકડની ચોરી થઈ હતી. આ ઉપરાંત, પંચાલ જીવાભાઈ ગોરધનભાઈના ઘરેથી રૂ.12,000 રોકડ,રૂ.19,000 ના સોના-ચાંદીના દાગીના અને રૂ. 2,000 ની સોનાની વીંટી સહિત કુલ રૂ. 1,91,000 ની ચોરી થઈ હતી. LCB ટીમને બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા ઈસમો ચોરીના મુદ્દામાલનો ભાગ પાડવા માટે રાધનપુર તાલુકાના અરજણસર ગામના તળાવમાં ભેગા થયા છે. આ બાતમીના આધારે પોલીસે ખાનગી વોચ ગોઠવી ચાર ઈસમોને પકડી પાડ્યા હતા. પૂછપરછ કરતા પકડાયેલા ઈસમોએ સહઆરોપી ઠાકોર સવસીભાઈ ઉર્ફે અરવિંદ પુનાભાઈ (રહે. અરજણસર) નીમદદગારીથી 21/11/2025 ના રોજ અલ્હાબાદ (વડલારા) ગામે મનસુખભાઈ રામાભાઈ પંચાલના ઘરે ચોરી કર્યાની કબૂલાત કરી હતી.આરોપી ઠાકોર સંજય ઉર્ફે જીગર અમરતભાઈ અને ઠાકોર સાગર ઉર્ફે ભાણો ગણેશભાઈ અલ્હાબાદ ગામના વતની હોવાથી તેમણે ફરિયાદીના ઘરની રેકી કરી હતી. ફરિયાદી અમદાવાદ ગયા હોવાની જાણ થતાં તેમણે સહઆરોપીઓ સાથે મળીને ચોરી કરી હતી. ચોરી કરેલા દાગીનાઓ પૈકી ચાંદીના છતર ઓગાળીને તેના ચોરસા બનાવી દીધા હતા,જેથી સોની બજારમાં સરળતાથી વેચાણ કરી શકાય. પોલીસે આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.    

સંબંધિત સમાચાર