રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ7 મે, 2026| Super Admin

ગૌ ભક્તોના નાદથી ગુંજ્યું પાટણ: 'ગૌ સન્માન આહવાન અભિયાન' હેઠળ પ્રચંડ રેલી યોજાઈ

ગૌ ભક્તોના નાદથી ગુંજ્યું પાટણ: 'ગૌ સન્માન આહવાન અભિયાન' હેઠળ  પ્રચંડ રેલી યોજાઈ

સંતો-મહંતો સાથે વિવિધ ગૌશાળા સંચાલકો અને સનાતની હિન્દુઓ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા

મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર અપૅણ કરી ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળે તેવી  માંગ કરી

સંપૂર્ણ ભારત વર્ષમાં ગૌ હત્યા સમાપ્ત કરવા અને ગૌ માતાને રાષ્ટ્ર સ્તરીય સમ્માન અપાવવા માટે તા.૭ મે ના રોજ ને સનાતનીઓ દ્રારા ગૌ સમ્માન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના ૨૬૮ તાલુકાઓમાં સનાતન પ્રેમીઓ દ્રારા સંતો-મહંતોની આગેવાની હેઠળ ભગવાધારી ધ્વજ સાથે રેલી યોજી. મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર સુપ્રત કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. 

જે અંતર્ગત પાટણ શહેરના રંગીલા હનુમાન મંદિર ખાતે થી સંતો- મહંતો સાથે શહેર ની વિવિધ ગૌશાળાના સંચાલકો, સનાતન સંસ્થાઓ અને મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓએ મોટી  ઉપસ્થિત રહી ભગવા ધ્વજ સાથે જોડાઈ મામલતદાર કચેરી સુધી રેલી યોજી ઉપસ્થિત જવાબદાર અધિકારીઓને પ્રાર્થના પત્ર સુપ્રત કરી ભારતમાં ગૌ હત્યા પર પૂર્ણતા પ્રતિબંધ લાગે,ગૌ હત્યા પૂર્ણતા બંધ થાય. શ્રી ગૌમાતાને રાષ્ટ્ર માતા, રાષ્ટ્ર દેવ, રાષ્ટ્ર આરાધ્ય ,રાષ્ટ્ર ધરોહર અથવા રાષ્ટ્ર આધારનું સન્માનિત પદ પ્રાપ્ત આપવામાં આવે, ગૌ સેવા માટે કેન્દ્રીય કાનુન લાગુ થાય અને કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલય બને જેનાથી સંપૂર્ણ ભારત વર્ષમાં સમાન રૂપથી ગૌ સેવા થઈ શકે તેવી માંગ કરવામાં આવી હતી. અને આગામી સમયમાં સમગ્ર ગુજરાત અને દરેક રાજયોમાં તા.૨૭ જુલાઈ ના રોજ તમામ જિલા કક્ષાએ કલેકટર અને તા. ૨૭ ઓકટોબરના રોજ રાજ્ય કક્ષાએ સચિવના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મહામહિમ રાજયપાલો અને મુખ્યમંત્રીઓને  પ્રાર્થના પત્ર સુપ્રત કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું સનાતન હિન્દુઓએ આહવાન કર્યું હતું.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર