રખેવાળ
બ્રેકિંગ
પાટણ10 મે, 2025| Super Admin

ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે અફવાઓથી દૂર રહેવા પાટણ કલેકટરનો અનુરોધ

ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે અફવાઓથી દૂર રહેવા પાટણ કલેકટરનો અનુરોધ

ભારત-પાકિસ્તાન વચ્ચે જોવા મળતી યુધ્ધની સ્થિતિ ને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં દેશના જવાનો સહિત વહીવટીતંત્ર ને તમામ તૈયારીઓ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે ત્યારે પાકિસ્તાન સરહદને અડીને આવેલા પાટણ જીલ્લાના સરહદી વિસ્તારમાં પણ તંત્ર દ્વારા રજે રજની ગતિવિધિ પર નગર રાખવામાં આવી રહી છે. જિલ્લાના સાંતલપુર તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેક આઉટ કરવાની સૂચના આપવામાં આવી છે અને તમામ નાગરીકોને અફવાઓથી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર