રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ17 એપ્રિલ, 2026| Super Admin

પાટણ તંત્રની બેદરકારી સામે આવી, ઢોર ડબ્બામાં 4 ગાયોના મોત મામલે તપાસની માંગ

પાટણ તંત્રની બેદરકારી સામે આવી, ઢોર ડબ્બામાં 4 ગાયોના મોત મામલે તપાસની માંગ

ગાયોના મોતને પગલે માલધારી સમાજમાં રોષ સાથે આગામી ચૂંટણીમાં ભાજપના બહિષ્કારની ચીમકી

પાટણ નગરપાલિકાના ઢોર ડબ્બાની ટીમની કથિત બેદરકારીને કારણે ચાર ગાયોના મોત થયા છે.આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ ન્યાય નહીં મળે તો આગામી નગરપાલિકા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

પાટણ શહેરમાં રખડતા ઢોરો પકડવાની ઝુંબેશ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી હતી.માલધારી સમાજના આક્ષેપ મુજબ,જે પાંજરામાં 10 થી 11 પશુઓને રાખવાની ક્ષમતા છે, તેમાં 21 પશુઓને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. અપૂરતી જગ્યા અને ગૂંગળામણને કારણે એક ગર્ભવતી ગાય સહિત કુલ ચાર ગાયોના મોત થયા હતા.પશુપાલકોએ પશુઓને પકડતી વખતે ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

આ ઘટના બાદ રબારી અને ભરવાડ સમાજના અગ્રણીઓએ પાટણ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી હતી. તેમણે જવાબદાર કર્મચારીઓ સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પશુપાલકોએ મૃત ગાયોનું વેટરનરી ડોક્ટર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા અને પશુઓને પકડવાની પ્રક્રિયામાં માનવીય અભિગમ અપનાવવા પણ માંગણી કરી છે.ઘટનાની ગંભીરતા જોતા માલધારી સમાજે આગામી પાટણ નગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી ભાજપને એક પણ વોટ આપવામાં આવશે નહીં. વધુમાં, રબારી-ભરવાડના વિસ્તારોમાં ભાજપના લોકોએ પ્રચાર માટે આવવું નહીં તેવા બોર્ડ પણ લગાવવામાં આવશે તેવો હુકાર પણ માલધારી સમાજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર