રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ18 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું

પાટણ; આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું

ગુજરાત રાજ્યમાં આદિવાસી સમાજના યુવાનોને સરકારી નોકરીઓમાં લાયકાત ધોરણમાં છૂટછાટ મળતી નથી. આ મુદ્દે ગરવી ગુજરાત આદિવાસી ભીલ સમાજ સેવા ટ્રસ્ટે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. આદિવાસી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ એક ચિંતન બેઠક યોજી હતી. બેઠકમાં સરકારી નોકરીઓમાં અનુસૂચિત જનજાતિ માટે લાયકાત ધોરણમાં છૂટછાટની જોગવાઈનો અમલ ન થવાનો મુદ્દો ચર્ચાયો હતો. સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે 40% લાયકાત ધોરણમાં છૂટછાટની માંગ કરવામાં આવી છે. ચિંતન બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર અને સરકારને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અનુસાર સોમવારે રાજ્યભરના આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યા હતા. આગેવાનોએ ચેતવણી આપી છે કે જો માંગણી નહીં સ્વીકારાય તો આદિવાસી સમાજ રાજ્યભરમાં આંદોલન કરશે. આંદોલનની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર