રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
આંતરરાષ્ટ્રીય25 નવેમ્બર, 2024| Super Admin

દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડિંગ બાદ રશિયન પ્લેનમાં આગ લાગી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડિંગ બાદ રશિયન પ્લેનમાં આગ લાગી મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત

એન્ટાલિયા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. તુર્કીના પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દક્ષિણ તુર્કીના એન્ટાલિયા એરપોર્ટ પર ઉતર્યા બાદ રશિયન પ્લેનના એન્જિનમાં આગ લાગી હતી. વિમાનમાં 95 લોકો સવાર હતા. માહિતી આપતાં તુર્કીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન ઉડ્ડયન કંપની 'એઝિમુથ એરલાઇન્સ' દ્વારા સંચાલિત 'સુખોઈ સુપરજેટ 100' ક્લાસ એરક્રાફ્ટ રશિયાના સોચીથી ઉડાન ભરી હતી અને તેમાં 89 મુસાફરો અને છ ક્રૂ સભ્યો હતા.

નિવેદન અનુસાર, પ્લેન સ્થાનિક સમય અનુસાર રાત્રે 9:34 વાગ્યે એન્ટાલિયા એરપોર્ટ પર લેન્ડ થયા પછી, પાયલટે એન્જિનમાં આગની જાણ કરી, જેના પછી એરપોર્ટ રેસ્ક્યૂ અને ફાયર બ્રિગેડે તરત જ આગને ઓલવવાનું કામ કર્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી.

સંબંધિત સમાચાર