રખેવાળ
બ્રેકિંગ
બિઝનેસ3 જાન્યુઆરી, 2025| Super Admin

નીતા અંબાણીએ જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા

નીતા અંબાણીએ જામનગર રિફાઈનરીના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની જામનગર રિફાઈનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અંબાણી પરિવારના લોકોએ સંબોધન કર્યું ત્યારે અંબાણી પરિવારના જામનગર પ્રત્યેના અદભૂત લગાવની ઝલક જોવા મળી હતી. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે જામનગરમાં વિશ્વની ટોચની રિફાઈનરી સ્થાપવાનું સપનું જોયું હતું. કર્મચારીઓ અને પરિવારને સંબોધતા નીતા અંબાણીએ કહ્યું કે, જામનગર માત્ર એક સ્થળ નથી, પરંતુ તે રિલાયન્સની આત્મા છે, તે આપણા હૃદયમાં ઊંડે સુધી છે. આ કોકિલા મમ્મીનું જન્મસ્થળ છે. તે તેના મૂળ અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ આજે આપણી સાથે છે અને તેમના આશીર્વાદથી જ બધું શક્ય બન્યું છે. તમે અમારા માટે જે કર્યું છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. પાપા ધીરુભાઈ અંબાણી માટે જામનગર તેમનું કાર્યસ્થળ હતું, તેમનું સ્વપ્ન હતું, તેમનું ભાગ્ય હતું. તે તેમની ફરજ, સમર્પણ અને હેતુનું પ્રતીક છે. થોડા દિવસ પહેલા જ તેમનો 92મો જન્મદિવસ આવ્યો હતો.

સંબંધિત સમાચાર