રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા18 નવેમ્બર, 2025| Super Admin

મહેસાણા મનપાનો વિકાસ ગાંડો થયો : વિકાસના રોડ બનાવવા માટે તોતિંગ વૃક્ષોનું નિકંદન

મહેસાણા મનપાનો વિકાસ ગાંડો થયો : વિકાસના રોડ બનાવવા માટે તોતિંગ વૃક્ષોનું નિકંદન
ત્યારે પર્યાવરણની જાળવણી માટે મનપાની શું જવાબદારી ? મહેસાણા શહેરમાં મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણા શહેર ખરેખર વિકાસની હરણફાળ ભરતું થયું છે. મનપા કમિશ્નર ખટાલેના આવ્યા પછી શહેરની રોનક બદલાઈ ગઈ છે. રોડ, રસ્તા, લાઈટ, પાણી અને ગટર જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા મનપા અધિકારીઓ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં જ્યાં સાચા અર્થમાં વિકાસની જરૂર છે ત્યાં તો કોઈ વિકાસ દેખાતો નથી અને જ્યાં વિકસિત વિસ્તાર છે. ત્યાં મનપાનો વિકાસ કૂદકેને ભૂસકે વધી રહ્યો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અહીંયા વાત છે મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં બની રહેલા રોડ, રસ્તા અને અંડર લાઈન ગટર બનાવવાની ત્યાંરે રડોની બન્નેય બાજુએ આવેલા તોતિંગ વૃક્ષોનું પણ તંત્ર દ્વારા સરેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. મહેસાણા શહેરથી વિસનગર તરફ જતા માર્ગે હાલના તબક્કે મનપા દ્વારા રોડ રસ્તાની કામગીરી કરવામાં આવી રહી છે  જેમાં નડતરરૂપ થતા રોડની બેય બાજુ આવેલા વૃક્ષોને કાપી એ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે વિકાસની વાતો વચ્ચે મનપા અધિકારીઓ દ્વારા પર્યાવરણને શા માટે મોટાપાયે નુકસાન કરવામાં આવી રહ્યું છે?? શું આ બાબતે વન વિભાગ કે અન્ય સરકારી વિભાગોના નીતિ નિયમોને પણ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાકટર ઘોળીને પી ગયા છે ?  ત્યારે સ્થાનિક વિસ્તારના લોકોમાં શંકાનો સવાલ થવો વ્યાજબી જ છે કે મહેસાણા મનપાનો વિકાસ સાચે જ ગાંડો થઈ ગયો છે કે એમને પર્યાવરણની જાળવણીનું પણ ધ્યાન નથી રાખ્યું.    

સંબંધિત સમાચાર