રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજું
મહેસાણા6 ઑક્ટોબર, 2025| Super Admin

મહેસાણા એલસીબીએ બંધ મકાનમાંથી 1470 લિટર દેશી દારૂ ઝડપ્યો

મહેસાણા એલસીબીએ બંધ મકાનમાંથી 1470 લિટર દેશી દારૂ ઝડપ્યો
મહેસાણા એલસીબીએ ભાણપુરમાંથી 2.94 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપ્યો, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે વિજાપુર તાલુકાના ભાણપુર ગામમાં એક બંધ મકાનમાંથી ₹2,94,000 ની કિંમતનો 1470 લિટર દેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દેશી દારૂ બંધ મકાનની ઓસરીમાં સંતાડ્યો LCB પોલીસ સ્ટાફ વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભાથીપુરા ગામના રાઠોડ સંજયસિંહ કનુસિંહ, રાઠોડ કલ્પેશસિંહ ફુલસિંહ, અને રાઠોડ વિષ્ણુસિંહ ઉર્ફે રઘો કનુસિંહ સાબરમતી નદીના પટમાંથી દેશી દારૂ ગાળીને પ્લાસ્ટિકના કેરબામાં ભરી ભાણપુર ગામના પરમારવાસમાં આવેલા પનાભાઈ ગોકુળભાઈ પરમારના બંધ મકાનની ઓસરીમાં સંતાડીને તેનો વેપાર કરી રહ્યા છે. પ્લાસ્ટિકના કુલ 42 કેરબા મળી આવ્યા આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. ભાણપુરના પરમારવાસમાં આવેલા બંધ મકાનની ઓસરીમાંથી પ્લાસ્ટિકના કુલ 42 કેરબા મળી આવ્યા હતા, જેમાં 1470 લિટર દેશી દારૂ ભરેલો હતો. આ જથ્થાની કિંમત ₹2,94,000 અંદાજવામાં આવી છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો પોલીસે મકાનની બાજુમાં રહેતા પરમાર જગાભાઈ રેવાભાઈની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ મકાન પનાભાઈ ગોકુળભાઈ પરમારનું હતું, જેઓનું અવસાન થઈ ગયું છે અને તેમના કોઈ વારસદાર નથી, જેના કારણે મકાન બંધ હાલતમાં છે. જગાભાઈએ વધુમાં જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાઠોડ સંજયસિંહ, રાઠોડ કલ્પેશસિંહ અને રાઠોડ વિષ્ણુસિંહએ અહીં મૂક્યો હતો.આ માહિતીના આધારે, પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ, આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.      

સંબંધિત સમાચાર